શ્રી સરદાર વલ્લભભાઇ પટેલ માર્કેટયાર્ડ - વાઘોડીયા

બજાર ધારાના અમલીકરણ અને તેના હેતુઓ પાર પાડવા મે.નિયામકશ્રી , ખેત બજાર અને ગ્રામ્ય અર્થતંત્ર ગાંધીનગર . મે . નાયબ નિયામકશ્રી ખેત બજાર અને ગ્રામ્ય અર્થતંત્ર વડોદરા તથા તેઓના સ્ટાફ તરફથી બજાર સમિતિ વાઘોડીયા ના વિકાસમાં સહકાર અને માર્ગદર્શન આપવા બદલ તેઓશ્રીનો આભાર માનુ છુ .
 
વધુમાં બજાર સમિતિ વાઘોડીયાના સદસ્યશ્રીઓ , વેપારીભાઇઓ , ખેડુતભાઇઓના સાથ સહકાર બદલ હું તેમનો હદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. આ સંસ્થા સતત વિકાસ કરે અને વિશાળ વટવૃક્ષ જેવી બને તેવી આશા રાખુ છું.
 
 
       
 
   
 
ચેરમેનશ્રી પટેલ કનુભાઇ જેસંગભાઇ
ગુજરાત રાજ્ય ભારતભરમાં કૃષિબજાર ક્ષેત્રે નવા સોપાનો સર કરી રહ્યુ છે.
»»
 
જામ ખંભાળિયામાં ૧૯ ઇંચ વરસાદ
સમગ્ર રાજયમાં આજે બીજા દિવસે પણ મેઘકૃપા યથાવત્ રહી હતી. સૌરાષ્ટ્રમાં ગઈ કાલે સાંબેલાધાર વરસાદ વરસ્યા બાદ આજે પણ ઓખા, મીઠાપુર અને વેરાવળ પંથકમાં અનરાધાર વરસાદ વરસ્યો હતો. જામ ખંભાળિયામાં ર૦ કલાકમાં ૧૯ ઈંચ વરસાદ પડતાં ભયજનક સ્થિતિ સર્જાઈ છે. બીજી તરફ રાજ્યમાં વીજળી પડવાના બનાવોમાં બેનાં મોત નિપજ્યા છે. મહેસાણાના બાવલુમાં વીજળી પડતાં એકનુ મોત નીપજ્યુંું હતું. જ્યારે સાબરકાંઠાના પાલનપુર ગામે વીજળી પડતાં ૪ને ઈજા પંહોચી હતી. અન્ય ઘટનામાં સાણંદના મોડાસર ગામે વીજળી પડતાં કરણભાઈ અભેસંગભાઈ દયા નામના ૪૦ વર્ષના યુવાનનું મોત નિપજ્યું હતું.
નોંધઃ આ વેબસાઇટ પર દર્શાવેલ માહિતી,આંકડા કે રકમ APMC ના રેકોર્ડ પરથી લીધેલ છે. પરંતુ શરતચુક કે અન્ય કારણસર કોઇ પણ પ્રકારની માહિતીમાં ખામી કે ભુલ હોય તો APMC ના રેકોર્ડ પરની માહિતી સાચી ગણવી. આ અંગે વેબસાઇટને કોઇ પણ પ્રકારે જવાબદાર ઠેરવી શકાશે નહી.
Copyright © 2010 All Rights Reserved. Powered by :